あらすじ
ચાણક્ય બહુ પ્રચલિત અને પ્રસિદ્ધ નામ છે. પૂર્વમાં ચણક નામના ઋષિ થયા હતા તેમના વંશમાં જન્મવાથી ચાણક્ય નામ પડ્યું લાગે છે. ચાણક્ય, નંદરાજાનો ઉચ્ચ અધિકારી હતો પણ અભિમાની નંદે તેનું અપમાન કરીને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો. નંદના આવા હળહળતા અપમાનથી કુપિત થઈને ચાણક્યે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું આ નંદવંશનું નિકંદન નહિ કાઢું ત્યાં સુધી ચોટલીને ગાંઠ નહિ વાળું. ચાણક્ય બ્રાહ્મણ હતો. એકલો હતો. સૌકોઈ રાજાની સાથે હતું. ફેંકાઈ ગયેલા માણસને કોણ સાથ આપે! પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થવાથી ચાણક્ય ઘણાં વર્ષો સુધી આમતેમ ભટકતો રહ્યો. જે લોકો શીઘ્ર સમાધાનકારી હોય છે તેમનો ઇતિહાસ નથી હોતો. જે લોકો હજારો કષ્ટો વેઠવા છતાં પણ સમાધાન નથી કરતા પણ લક્ષ્યમાં મંડ્યા રહે છે તેમના વિજય કે વિનાશનો ઇતિહાસ હોય છે. જેમ કે મહારાણા પ્રતાપ.
ISBN: 9788184618433ASIN: 8184618433