પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે અનુભવવિશ્વને પામીને વ્યક્તિત્વનો વિકાસ કરી શકાય છે. જે તે દેશની વિરાસત આપણી જ્ઞાનની અને અનુભવોની ક્ષિતિજોને વિસ્તારી દે છે. આ પુસ્તક તમને `સાત સમંદર પાર'ના અનેક દેશોનો પ્રવાસ કરાવશે, જે વાંચ્યા પછી તમને ચોક્કસ લાગશે કે તમે પોતે પણ આ રોમાંચક પ્રવાસના સહપ્રવાસી જ છો.